Khergam: ખેરગામ તાલુકાના આછવણી આશ્રમશાળા ખાતે આચાર્યશ્રીઓની દ્વી દિવસીય સક્ષમ તાલીમ યોજાઈ. તારીખ 15-07- 2024 અને 16-07-2024 દરમ્યાન ખેરગામ તાલુકાના આછવણી આશ્રમશાળા ખાતે તાલુકાનાં તમામ આચાર્યશ્રીની દ્વી દિવસીય સક્ષમ તાલીમ યોજાઈ હતી. સરકારશ્રીની નવી શિક્ષણ નીતિ અનુસાર ગુજરાતની તમામ શાળાઓમા સ્વચ્છ પર્યાવરણ, આરોગ્ય, શિક્ષણમાં ગુણવત્તા, સ્માર્ટ વર્ગખંડો, પુસ્તકાલય, કોમ્પુટર લેબ, સાયન્સ લેબ, ગ્રીન શાળાઓ, હરિયાળી શાળા તેમજ જળ જંગલ અને જમીનના સંવર્ધન બાબતે તથા શાળાની ભૌતિક સુવિધાઓને અગ્રતાક્રમ આપી મોડેલ શાળાઓમા અપગ્રેડ કરવામાં આવી રહી છે. ત્યારે શિક્ષકો પણ ઉપરોક્ત તમામ બાબતોથી વાકેફ થાય એ અનુસંધાને આ તાલીમ યોજાઈ હતી. જેમાં તાલીમની શરૂઆત પ્રાર્થના ધ્યાન અને યોગથી શરૂઆત કરી. શરૂઆત બી.આર.સી કો-ઓર્ડીનેટર વિજયભાઈ પટેલે સક્ષમ શાળાની તાલીમ વિશે પ્રાથમિક માહિતીથી વાકેફ કર્યા. ત્યારબાદ ઇન્ચાર્જ સી.આર.સી કિરીટભાઈ દ્વારા સરસ મજાની વાર્તાથી શરૂઆત કરી. જેમાં આબોહવા પરિવર્તન વિશેની વાતો કરી. આજના સમયમાં આબોહવા ગમે તે પ્રમાણમાં અલગ અલગ રીતે વર્તાઈ રહી છે જેના કારણોની...
આદિવાસી સમાજની ધોડિયા બોલીની જાળવણી માટે એક શિક્ષકે બીડુ ઉઠાવ્યું દક્ષિણ ગુજરાતમાં ઘોડિયા જ્ઞાતિની બોલીની એક વિશેષતા છે, અગાઉના વડીલો તેને વ્યવહારમાં ઉપયોગ કરતા હતા પણ આજનો યુવા વર્ગ તેનો ઉપયોગ કરતા શરમાય છે, પણ તેના કારણે જ ધોડિયા બોલી ધીરે ધીરે મૃતપાય તરફ જવાને આરે છે, ત્યારે તેને સાચવવા માટે કપરાડા તાલુકાના ધોધડકુંવા ગામે રહેતા શિક્ષકે પ્રયાસ શરૂ કરી ધોડિયા બોલીમાં વાર્તા સંગ્રહ અને 100થી વધુ કહેવતોની એક બુક પ્રકાશિત કરી છે, જેથી આવનારી પેઢી તેને જોઈ સમજી અને બોલી શકે. કપરાડા તાલુકાના ધોધડકુંવા ગામે રહેતા અરવિંદભાઈ પટેલ જેઓ 1986થી ઉદવાડા ગામે શિક્ષક તરીકેની કામગીરી શરૂ કરી હતી, તેઓ હાલ ધરમપુર ખાતે હાઈસ્કૂલમાં સેવા આપી રહ્યા છે, તેમણે આદિવાસી ધોડિયા બોલીને સાચવવા માટે અત્યાર સુધીમાં અનેક પુસ્તકો લખ્યા છે. જેમાં ભવોભવની પ્રીત,ઘાટધાટના પાણી...
રાજીવ ગાંધીની પુણ્યતિથિ ૨૧ મે, ૧૯૯૧ના રોજ ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની સ્યૂસાઈડ બોમ્બર દ્વારા ચૂંટણી પ્રચાર દરમિયાન હત્યા કરવામાં આવી હતી. આથી આ દિવસને આતંકવાદ વિરોધી દિવસ તરીકે મનાવવામાં આવે છે. આતંકવાદ અને હિંસાના ભય અને લોકો, સમાજ અને સમગ્ર દેશ પર તેની અસર વિશે દેશના તમામ વર્ગોમાં જાગૃતિ લાવવા માટે આ દિવસ મનાવવામાં આવે છે. ૧૯૯૧માં આ દિવસે જ પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી આતંકવાદીઓના મનસૂબાનો ભોગ બન્યા હતા. આતંકવાદ વિરોધી દિવસ મનાવવા પાછળનો ઉદ્દેશ્ય લોકોને આતંકવાદ અને હિંસાથી દૂર રાખવાનો છે. આ પ્રસંગે શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓમાં આતંકવાદ અને હિંસાના જોખમો પર ચર્ચા-વિચારણા, પરિસંવાદ, પરિસંવાદો, વ્યાખ્યાનો વગેરેનું આયોજન કરવામાં આવે છે. ઘણી એનજીઓ, સામાજિક અને સાંસ્કૃતિક સંસ્થાઓ પણ હિંસા અને આતંકવાદની ખરાબ અસરોને પ્રકાશિત કરવા માટે તેમના પોતાના કાર્યક્રમોનું આયોજન કરે છે. તમામ સરકારી કચેરીઓ, જાહેર ક્ષેત્રના ઉપક્રમો અને અન્ય જાહેર સંસ્થાઓમાં આતંકવાદ વિરોધી/હિંસા વિરોધી પ્રતિજ્ઞા લેવામાં આવે છે.
Comments
Post a Comment